સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Wednesday 7 February 2018

પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા ૧૯ એપ્રિલ સુધીમાં પૂરી કરવા આદેશઃ ત્યારબાદ શિક્ષકોને NCERT તાલીમ - રાજકોટ: સ્કૂલમાં ધો.5નો વર્ગ બંધ કરવા સરકારના આદેશથી વિદ્યાર્થીઓમાં વિરોધ - શિક્ષકોના ત્રાસથી મ.ભોજન સંચાલકનો આપઘાત, મળી સ્યુસાઈડ નોટ - ગુજરાતીઓ પાસેથી વધુ 'એક હજાર કરોડ' ઇનકમ ટેકસ ઉઘરાવાશે! - બેંકોના ખાનગીકરણનો વિરોધ બેંક કામદારો-ઓફિસરોનું ૧પમી માર્ચે હડતાલનું એલાન - HTAT Waiting Round Declared - INCOME TAX 2017-18 FILE

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા ૧૯ એપ્રિલ સુધીમાં પૂરી કરવા આદેશઃ ત્યારબાદ શિક્ષકોને NCERT તાલીમ
રાજકોટ તા.૭ : રાજયના શિક્ષણ નિયામકે તમામ પ્રાથમિક શાળાઓમાં કનિદૈ લાકિઅ વાર્ષિક પરીક્ષા ૧૯ એપ્રિલ સુધીમાં આટોપી લેવા માટે જિલ્લા તંત્રોને સુચના આપી છે. વાર્ષિક પરીક્ષા પછી શિક્ષકો માટે તાલીમ આવી રહી છે. ગુજરાતમાં કનિદૈ લાકિઅ અત્યાર અકિલા સુધીમાં જી.સી.આર.ટી. મુજબ અભ્યાસક્રમ ચાલતો હતો પરંતુ હવે પછીના નવા શૈક્ષણિક સત્રથી ધો.૧ થી ૯ અને ૧૧ના મુખ્ય વિષયોમાં કનિદૈ લાકિઅ નેશનલ કાઉન્સીલ ઓફ રીસર્ચ એન્ડ ટ્રેનીંગની રૂપરેખા મુજબ નવો અભ્યાસક્રમ આવી રહ્યા અકીલા છે. નવા અભ્યાસક્રમ અને સંભવત એપ્રિલના ઉતરાર્ધમાં અથવા કનિદૈ લાકિઅ મે મહિનાના પ્રારંભ સબંધિત શિક્ષકો માટે તાલીમ વર્ગ યોજાનાર છે. તાલીમને અનુલક્ષીને પરીક્ષા સમયસર પૂરી કરવા જણાવાયુ છે.   (3:47 pm IST)
 Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/07-02-2018/70170

રાજકોટ: સ્કૂલમાં ધો.5નો વર્ગ બંધ કરવા સરકારના આદેશથી વિદ્યાર્થીઓમાં વિરોધ

રાજકોટ: સ્કૂલમાં ધો.5નો વર્ગ બંધ કરવા સરકારના આદેશથી વિદ્યાર્થીઓમાં વિરોધ
રાજકોટ: રાજકોટમાં સેન્ટ મેરી સ્કૂલ પાસે સીબીએસસી અને ગુજરાત બોર્ડની ધો.5ની માન્યતા ન હોવા છતાં 180 વિદ્યાર્થીઓને ગત વર્ષે એડમીશન આપી દીધું હતું. ચાલુ શૈક્ષણિક વર્ષના માત્ર બે મહિના રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગે ધો. 5નો વર્ગ બંધ કરવા માટે આદેશ કર્યો છે. વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે સ્કૂલના સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે 180 વિદ્યાર્થીના ભવિષ્યને લઇને વિદ્યાર્થીઓ આજે સ્કૂલ ખાતે વિરોધ પર ઉતરી આવ્યા હતા અને અમારી સ્કૂલને માન્યતા આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

સ્કૂલની ભૂલ અને હવે સરકારનો આદેશ
સેન્ટી મેરી સ્કૂલના સંચાલકોને માન્યતા ન હોવા છતાં 180 વિદ્યાર્થીઓને એડમિશન આપી દીધુ હતું. સ્કૂલની ભૂલને કારણે આજે 180 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભા થયા છે. પહેલા સ્કૂલની ભૂલ અને હવે સરકારે ધો. 5ના વર્ગને બંધના આદેશ કર્યા છે. જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સ્કૂલ સેટલમેન્ટ માટે તૈયાર, સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરતી નથી
સેન્ટ મેરી સ્કૂલના ફાધર જ્યોર્જે જણાવ્યું હતું કે, સ્કૂલને મંજૂરી ન મળતા તે અંગે હાઇકોર્ટમાં કેસ કર્યો છે, પરંતુ સ્કૂલ વિદ્યાર્થીઓના ભાવિ માટે સેટલમેન્ટ કરી કેસ પાછો ખેંચવા તૈયાર છે અને તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ તેનો હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી. તેમજ કોર્ટમાં પણ સરકાર જવાબ રજૂ કરતી ન હોય કેસ આગળ ચાલી રહ્યો નથી.
વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે માટે સરકારમાં રજૂઆત કરાશે
મેયર જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વાલીઓ તેમના બાળકોની ભવિષ્યની ચિંતાની વાત સાથે મારી પાસે આવ્યા હતા. તેમની વાત સાંભળ્યા બાદ મે ડીઇઓ સાથે ટેલિફોનિક વાત કરી હતી. ડીઈઓએ સેન્ટમેરી સ્કૂલને વધારાના વર્ગની મંજૂરી ન હોય બંધ કરવા નોટિસ આપ્યાનું જણાવ્યું હતું. આમ છતાં વાલીઓની રજૂઆત ધ્યાને લઇ વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તે માટે યોગ્ય રસ્તો કાઢવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં એડમિશન અપાશે
ડીઇઓ એમ.આર.સગારકાએ જણાવ્યું હતું કે, સ્કૂલને ધો.5નો વધારાનો મંજૂરી વગરનો વર્ગ બંધ કરવા નોટિસ આપી છે આથી આશરે 90 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં પરીક્ષા આપવી પડશે અને એડમિશન લેવું પડશે. તેના માટે ગુજરાત બોર્ડની માન્યતા ધરાવતી અંગ્રેજી માધ્યમની પ્રાઇમરી સ્કૂલોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને કંઇ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાશે તે તૈયાર કરાયા બાદ વાલીઓ સમક્ષ તે યાદી જાહેર કરાશે. કોઇ વાલી પોતાની રીતે પોતાના સંતાનનું એડમિશન અન્ય સ્કૂલમાં કરાવવા માગે તો કરાવી શકે છે.
 Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-not-recognition-of-cbsc-in-school-so-government-order-of-close-NOR.html?ref=ht
ગુજરાતીઓ પાસેથી વધુ 'એક હજાર કરોડ' ઇનકમ ટેકસ ઉઘરાવાશે!
કરચોરી કરનાર કરદાતાઓ ડિપાર્ટમેન્ટના રડારમાં હોવાથી હવે મોટા દરોડાની કાર્યવાહી થશેઃ સરકારે ગુજરાત કનિદૈ લાકિઅ ઇનકમ ટેકસનો ટાર્ગેટ એક હજાર કરોડ વધારી દીધો   નવી દિલ્હી તા. ૭ : સરકારે ગુજરાત આયકર વિભાગના ટાર્ગેટમાં રૂપિયા એક હજાર કરોડનો વધારો કરી કનિદૈ લાકિઅ દીધો છે. હિસાબી અકિલા વર્ષ પુરૂ થવાને હવે માંડ બે મહિના બાકી છે. ત્યારે હવે રૂપિયા ૪૭૮૩૮ કરોડના નવા ટાર્ગેટને પુરો કરવા માટે આગમી દિવસોમાં કનિદૈ લાકિઅ આયકર વિભાગના મેગા ઓપરેશન શરૂ થઇ જશે. ઘણા સમયથી મોટા કરચોરો પર વોચ રાખીને અકીલા બેઠેલા અધિકારીઓ હવે દરોડા માટે સજ્જા થઇ ગયા છે. દિલ્હી કનિદૈ લાકિઅ દરબારમાંથી ગુજરાત આયકર વિભઆગને રૂપિયા ૪૬૮૩૮ હજાર કરોડનો ટાર્ગેટ સોંપાયો હતો. જે પૈકી ડિપાર્ટમેન્ટે ૩૧મી જાન્યુઆરી સુધી રૂપિયા ૩૩૬૧૨ કરોડનો કનિદૈ લાકિઅ ટેકસ ઉઘરાવી લીધો છે. હવે સરકારે વધુ એક હજાર કરોડ ટેકસ ઉઘરાવવાનો ટાસ્ક સોંપતાં અધિકારીઓ પણ રઘવાયા બની ગયા છે. ઓપરેશન 'કલીન મની'નું કામ કનિદૈ લાકિઅ પ્રગતિ પર, આવકના સ્ત્રોતની સ્પષ્ટતા જરૂરીઃ ડિપાર્ટમેન્ટ પાસે અનેક કરદાતાની માહિતી નોટબંધી વખતે લોકોને પોતાની પાસેના રૂપિયા ફરજીયાતપણે કનિદૈ લાકિઅ બેંકમાં જમા કરાવવા પડ્યા હતા. સરકારે જેમના ખાતામાં નોટબંધી વખતે જ બે લાખ કે તેથી વધુ રૂપિયા જમા થયા હોય. તેને નોટીસ આપી રૂપિયા કયાંથી આવ્યા કનિદૈ લાકિઅ તેના ખુલાસા પૂછવાની પણ જાહેરાત કરી હતી. જે અંગે ઘણા લોકોને નોટીસો મળી પણ ગઇ છે. જો કે આ સમય દરમિયાના જ આયકર વિભાગે તૈયાર કરેલા ઓપરેશન કલીન મની સોફટવેરથી દેશની કોઇ પણ બેંકના કોઇ પણ ખાતામાં રૂપિયા બે લાખ કે તેથી વધુ જમા થાય તેની જાણ તરત જ ડિપાર્ટમેન્ટને થઇ જાય તેવી ગોઠવણ કરી હતી. જેને પગલે ડિપાર્ટમેન્ટ પાસે આવા તમામ ખાતાની વિગતો છે. હવે આવા ખાતા ધારકોએ જો રીટર્ન ફાઇલ નહિ કર્યા હોય તો આયકર વિભાગ ચોક્કસ તેમને ખુલાશા પૂછશે. હવે ઓપરેશન કલીન મનીનું કામ પ્રગતિ ઉપર હોવાનું સિનિયર અધિકારીઓ જણાવે છે. આયકર વિભાગે રૂ. ૫૫૮૪ કરોડનું રિફંડ ચુકવ્યું આયકર વિભાગે ૩૧મી જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં રૂપિયા ૫૫૮૪ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવ્યું હોવાની જાહેરાત અધિકારીઓએ કરી હતી. જે કરતદાઓના GST કે પગારદારોના ઇનકમ ટેકસના રૂપિયા ડિપમર્ટમેન્ટમાં જમા થઇ ગયા હોય અને જે તે કરદાતાએ રીટર્ન ફાઇલ કરી પોતાના રૂપિયાના રિફંડ માટે કલેમ કર્યો હોય તેમને ડિપાર્ટમેન્ટ દ્વાર રીફંડ ચુકવાઇ રહ્યું છે. GSTનો સીધો ફાયદો ઇનકમ ટેકસ વિભાગને સરકારે GSTનો અમલ શરૂ કરી દેતાં હવે વેપારીઓની તમામ ખરીદી -વેચાણની વિગતો ઓનલાઇન થઇ ગઇ છે. GSTસાથે આયકરવ વિભાગ કનેકટ હોવાથી હવે વેપારીઓ પોતાનું ખરીદ વેચાણ કે પછી ટર્ન ઓવર છુપાવી શકે તેમ નથી. જેને લઇને તેમણે પુરો ટેકસ ભરવો પડી રહ્યો છે. અધિકારીઓ જણાવી રહ્યા છે કે GSTનો ફાયદો ડિપાર્ટમેન્ટને મળી રહ્યો છે. ચાલુ વર્ષે ઇનકમ ટેકસ રીટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં પણ ૧૩,૬૩,૯૫૬નો અભૂતપૂર્વ વધારો થયો છે. (11:45 am IST)
Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/07-02-2018/70163

Source :-http://dabhiraj.blogspot.in/2018/01/new-post-pragna-abhigam-babat-date.html

શિક્ષકોના ત્રાસથી મ.ભોજન સંચાલકનો આપઘાત, મળી સ્યુસાઈડ નોટ

આર્થિક સ્થિતિ સાવ બગડતાં ટેન્શનમાં આવી ગયેલા મહેશ ચૌહાણે વડનગરમાં કૂવામાં પડતું મૂક્યું
વડનગર: વડનગરના શેખપુર ગામના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક મહેશ ચૌહાણે શાળાના ત્રણ શિક્ષકોના ત્રાસથી મંગળવારે સાંજે વડનગરના એક કૂવામાં પડી આપઘાત કરી લીધો હતો. મૃતકે લખેલી સ્યૂસાઇડ નોટમાં ત્રણ શિક્ષકો ચા-નાસ્તાનો ખર્ચ માગી છાત્રોની ઓછી સંખ્યા દર્શાવી માનસિક હેરાન કરતા હોઈ અને ઓછા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ હોઈ આત્મહત્યાનો નિર્ણય લેવો પડ્યો હોવાનું જણાવ્યું છે. મૃતકની પત્નીએ વડનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શિક્ષકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં પ્રાંત સહિતના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વડનગરના રોહિતવાસમાં રહેતા મહેશ ભીખાભાઈ ચૌહાણ શેખપુર (ખે) ગામની પ્રાથમિક શાળામાં 20 વર્ષથી મધ્યાહન ભોજન સંચાલક તરીકે નોકરી કરતા હતા. માસિક રૂ.1600ના પગારમાં પરિવારનો ખર્ચ પૂરો ન થતાં તેમની પત્ની ઈલાબેન એક વર્ષથી તેમની સાથે શાળામાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા. પરંતુ શાળાના શિક્ષકો મોમીન હુસેન અબ્બાસભાઈ, પ્રજાપતિ વિનોદભાઈ અને ઠાકોર અમાજી અનારજી ચા-નાસ્તાનો ખર્ચ માગી ઓછી સંખ્યા બતાવી મહેશને હેરાન કરતા હતા. બીજી બાજુ મહેશની આર્થિક સ્થિતિ સારી ન હોઈ ટેન્શનમાં રહેતો હતો.
મંગળવારે સાંજે વડનગરની સાકેત સોસાયટીની પાછળ આવેલા કૂવામાંથી તેની લાશ મળી આવી હતી. જોકે, મહેશે આર્થિક ભારણના લીધે આત્મહત્યા કરી હોવાનું માની પરિવારજનો પોલીસે કેસ કરવા માગતા ન હતા. પરંતુ રાત્રે મહેશની દીકરી પ્રતિક્ષાના થેલામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં શેખપુર શાળાના 3 શિક્ષકોના ત્રાસથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો. આથી મૃતકની પત્ની ઈલાબેને વડનગર પોલીસમાં 3 શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રા.શિક્ષણાધિકારીએ શિક્ષકો, સરપંચનાં નિવેદન લીધાં, કલેકટરને રિપોર્ટ કરાયો

જિલ્લા કલેકટરની સૂચનાના પગલે શેખપુર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ગામમાં, શાળામાં કોઇની સાથે સંચાલકને ઝગડો થયો હોય તો કોઇને ફરિયાદ તો કરી હોય, પણ આવું કંઇ આજે સરપંચ, શિક્ષકો, એસએમસી સભ્યની પૂછપૂરછમાં જણાયું નથી. જોકે, પોલીસ ફરિયાદ થઇ છે એટલે પોલીસ તપાસ કરીને કાયદેસરની પ્રક્રિયા કરશે. વહીવટીરાહે તપાસમાં નિવેદન લઇને કલેક્ટરને રિપોર્ટ કરાયો છે- સ્મિતાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મહેસાણા
ત્રણ શિક્ષકો મને ટોર્ચર કરે છે અને ચા-પાણીનો ખર્ચ મારા માથે નાખે છે : મહેશની સ્યૂસાઇડ નોટ

આજરોજ હું નામે ચૌહાણ મહેશકુમાર ભીખાભાઇ સભાન અવસ્થામાં લખી આપું છું કે હું છેલ્લા વીસ વર્ષથી મ.ભો.યો. સંચાલક તરીકે 60/શેખપુર (ખે) પ્રા.શાળામાં નોકરી કરું છું. ત્યાં મને શાળાના શિક્ષકો માનસિક ત્રાસ આપે છે. મારો પગાર રૂ.1600 છે. જેના કારણે મારે ઘરમાં પણ પોસાતું નથી. ઘરમાં ઊછીના વ્યાજે પૈસા લઇને ઘર ચલાઉં પડે છે. મારા માથે ભાર હોવાથી મને કશું જ સુજતું નથી. જે શાળાના કારણે માનસિક ત્રાસ છે. મને સાઇડમાં નોકરી ધંધો પણ સુજતો નથી અને માથે દેવાનો ભાર વધે છે. જેના કારણે હું જાતે આ નિર્ણય લઉં છું મને પરવડતું નથી અને હવે 40 વર્ષ મને નોકરી કોણ લે બાળકો ત્રણ છે. જેના કારણે હું હતાશ તથા કંટાળી ગયો છું. જેથી મારી પત્નીને જોબ મળે અને બાળકો સાચવશે.

પરેશાન ત્રણ શિક્ષકો જ કરે છે. (1) મોમીન હુસન અબ્બાસ ધો-8, (2) પ્રજાપતિ વિનોદભાઇ ધો-7, (3) ઠાકોર અમાજી અનારજી - 4. એ રોજ ટોર્ચર કરે છે. તથા ચા-પાણી ખર્ચ મારા માથે નાખે છે. જે દિવસે ચા,ખાંડ ના પૈસા ન અપાય ત્યારે તેમના વર્ગની સંખ્યા બાળકો બેસે છે તેમાંથી ઘટાડો કરે છે. 12 બાળકો ભોજનમાં બેસે તો 8 અને 20 બેસે તો 9 અને મને રસોઇયા મદદનીશ વડનગર હોઇ પોસાતું નથી, જેના કારણે માનસિક ટોર્ચર કરે છે. જે આપ સાહેબને ખ્યાલ છે. આયોજનમાં સંચાલક સાઇકલ પણ વસાવી નથી, દેવાદાર થઇ ગયેલ છે. માનસિક ત્રાસ વધે છે. આપનો વિશ્વાસુ, ચૌહાણ મહેશકુમાર બી. 60/શેખપુર (એ) પ્રા.શાળા, તા.વડનગર
Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-suicide-of-teacher-by-teachers-torture-found-suicide-note-gujarati-news-5808072-PHO.html?ref=ht

બેંકોના ખાનગીકરણનો વિરોધ બેંક કામદારો-ઓફિસરોનું ૧પમી માર્ચે હડતાલનું એલાન 
પગાર ધોરણમાં સુધારો નહીં થતા દેશના ૧૦ લાખ, રાજયના પ૦ હજાર કર્મચારી જોડાશે અમદાવાદ કનિદૈ લાકિઅ તા. ૭ : બેન્ક કર્મચારીઓએ ફરી હડતાલ પાડવાની તૈયારીઓ કરી છે. પગાર ધોરણમાં સુધારો કરવાની માગ હજુ સુધી સ્વીકારાઇ નથી તેના વિરોધમાં આગામી કનિદૈ લાકિઅ ૧પમી માર્ચના અકિલા રોજ હડતાલ પર જવાનું એલાન કરવામાં આવ્યું છે.સમગ્ર દેશમાં દસ લાખ અને ગુજરાતમાં પચાસ હજાર કર્મચારી અને અધિકારીઓ આ હડતાલમાં કનિદૈ લાકિઅ જોડાશે. નોટબંધી બાદ બેન્ક કર્મચારીઓના કામમાં વધારો થયો હતો પરંતુ તેમને અકીલા કોઇ વધારાનું વળતર અપાયું ન હતું. બેન્ક કર્મચારીઓને નોંટબંધી કનિદૈ લાકિઅ વખતે માનસિક ત્રાસ પણ ભોગવવો પડયો હતો. છેલ્લે ૧ લી નવેમ્બર, ર૦૧૭ ના રોજ પગાર ધોરણમાં સુધારા અંગે ચર્ચા વિચારણા થઇ હતી પરંતુ બાદમાં કનિદૈ લાકિઅ કશું થયું ન હતું. બેન્કોના ખાનગીકરણ કરવામાં સરકાર પહેલ કરે છે પરંતુ કર્મચારીઓના પગાર ધોરણ સુધારવામાં એટલો રસ લેતી નથી. આ સંજોગોમાં બેન્ક કનિદૈ લાકિઅ કર્મચારીઓના રાષ્ટ્રીય સંગઠન દ્વારા ૧પ મી માર્ચે હડતાલનું એલાન જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અંદાજે પ૦ હજાર કર્મચારી-અધિકારી હડતાલ કનિદૈ લાકિઅ પર ઉતરી જતાં બેન્કની કામગીરી ખોરવાઇ જશે. (3:34 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/07-02-2018/70167

[New post] HTAT Waiting Round Declared



Source :-https://vivekjoshi2013.wordpress.com/2018/02/01/htat-waiting-round-declared/

INCOME TAX 2017-18 FILE

by ડૉ. વિવેક યુ. જોશી

INCOME TAX FILE 2017-18
Thanks to : Mahebubkhan Belim
Source :-https://vivekjoshi2013.wordpress.com/2018/01/31/income-tax-2017-18-file/
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/